બારડોલી ના આશિયાના નગરની ચકચારિત ગૌ-માંસ કેસમાં યુવા વકીલ મીનહાજ જી.શેખની ધારદાર દલીલો ગાહય રાખી — આરોપી ઓના જામીન ઉપર મુક્ત કરતી બારડોલીની સેશન્સ કોર્ટ

બારડોલી: શહેરના આશિયાના નગર વિસ્તારમાં બનેલી ચકચારિત ગૌ માંસની ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી વિરુદ્ધ ચાલી રહેલી સુનાવણી દરમિયાન, યુવા અને તેજસ્વી વકીલ શ્રી મીનહાજ જી.શેખે કોર્ટમાં એવી ધારદાર અને કાનૂની તથ્યો પર આધારિત દલીલો રજૂ કરી કે પ્રોસિક્યુશનના પુરાવા નબળા પડી ગયા.શ્રી મીનહાજ જી.શેખે પોતાની દલીલમાં સ્પષ્ટ કર્યું કે કેસમાં રજૂ કરાયેલા પુરાવા કાનૂની માપદંડોને પૂર્ણ કરતા નથી તથા આરોપી વિરુદ્ધ સીધો પુરાવો ઉપલબ્ધ નથી. આ દલીલોમાં કાયદાની કલમો, અગાઉના ન્યાયિક ચુકાદાઓ અને પુરાવા તથા સાચા તથ્યો બહાર પાડયા.કોર્ટએ દલીલોને ગાહય રાખી આરોપી ઓને જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ આપ્યો. આ ચુકાદો બાદ સ્થાનિક કાનૂની વર્તુળમાં યુવા વકીલ મીનહાજ જી. શેખની પ્રશંસા થઈ રહી છે અને તેમને બારડોલી કોર્ટમાં ઉદયમાન તારલા તરીકે જોવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *