આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંખેડા ખાતેC.W.D.C.વિભાગ દ્વારા આરતી શણગાર તથા પ્રસાદ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
તા.29 અને 30 ઓગસ્ટ 2025ના રોજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સંખેડા ખાતે C.W.D.C.વિભાગ દ્વારા આરતી શણગાર તથા પ્રસાદ સુશોભન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું સંચાલન C.W.D.C.ના કન્વીનર પ્રધ્યાપક નીલાબેન સોલંકી તથા તથા વર્ષાબેન પટેલે કર્યું હતું.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડો.દિવ્યાંગ વ્યાસ અને ડો.કવિતાબેન ડૉ.પ્રિયકાન્ત શ્રીમાળી સાહેબ એ સેવાઓ આપી હતી. .કાર્યક્રમના અંતે આભાર વિધિ ડો્ સાધનાબેન ટાંક અને ડો. વણકર સાધુ રાકેશભાઈ કરી હતી .આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ .તેમજ સમગ્ર સ્ટાફ મિત્રોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
