સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે જાહેર અપીલ

સુરત મહાનગરપાલિકાએ આગામી ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કુદરતી જળાશયોમાં ન કરવા માટે એક જાહેર અપીલ જારી કરી છે. આ અપીલ પર્યાવરણના રક્ષણ માટે, ખાસ કરીને તાપી નદી અને દરિયામાં થતા પ્રદૂષણને અટકાવવા માટે કરવામાં આવી છે.પર્યાવરણ (સુરક્ષા) અધિનિયમ, ૧૯૮૬ હેઠળ, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જારી કરાયેલા નિર્દેશો અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશોને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે શહેરમાં ૨૧ કૃત્રિમ તળાવો (આર્ટિફિશિયલ પોન્ડ) તૈયાર કર્યા છે.કૃત્રિમ તળાવોની યાદીઆ કૃત્રિમ તળાવો સુરતના જુદા જુદા ઝોનમાં આવેલા છે, જેમાં અઠવા, સેન્ટ્રલ, વરાછા-એ, વરાછા-બી, લિંબાયત, ઉધના-એ, ઉધના-બી, રાંદેર અને કતારગામ ઝોનનો સમાવેશ થાય છે.કેટલાક મુખ્ય સ્થાનો: * અઠવા ઝોન: ડુમસ ગામ – કાંદી ફળિયા (બે સ્થળો) અને વીઆઈપી રોડ, વેસુ પરના બે સ્થળો. * સેન્ટ્રલ ઝોન: ડક્કા ઓવારા, ક્વોલિટી રેસ્ટોરન્ટની પાછળ, ગાંધી બાગ પાસે. * વરાછા ઝોન-એ: ક્રિસ્ટલ પ્લાઝાની બાજુમાં, સિલ્વર ચોક પાસે. * લિંબાયત ઝોન: નવાગામ ડીંડોલી સીએનજી પંપ અને રાજ ટેક્સટાઈલ્સની બાજુમાં, મગોબ. * રાંદેર ઝોન: પાલ હજીરા રોડ, નવી આરટીઓ પાસે અને અડાજણ ગામ ડેપો વિસ્તારમાં આવેલ રામજી ઓવારા. * કતારગામ ઝોન: લંકા વિજય ઓવારા પાસે અને ડી-માર્ટ પાસે, સિંગણપોર.આ અપીલમાં તમામ ગણેશ ઉત્સવ આયોજકોને પોલિમર ક્લે (પી.ઓ.પી.) માંથી બનેલી પ્રતિમાઓનું વિસર્જન ફક્ત આ કૃત્રિમ તળાવોમાં જ કરવા અને શક્ય હોય તો ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરવા જણાવાયું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ આયોજકો અને નાગરિકોને પર્યાવરણની સુરક્ષા માટે આ અપીલનું પાલન કરવા વિનંતી કરી છે.રિપોર્ટ વિશાલ પટેલ 9377424645

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *